પશ્ચિમ એશિયામાં યુદ્ધ રોકવા ભારતની તમામ પક્ષોને તાત્કાલિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અપીલ
પશ્ચિમ એશિયામાં યુદ્ધ રોકવા ભારતની તમામ પક્ષોને તાત્કાલિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અપીલ
Published on: 08th June, 2026

પશ્ચિમ એશિયા અને ખાડી ક્ષેત્રમાં તણાવ વધ્યા બાદ ભારતે ફરી એકવાર સંઘર્ષને તાત્કાલિક ઓછો કરવા અને વિસ્તારમાં શાંતિ તેમજ સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે વાતચીત દ્વારા ઉકેલ લાવવા આગ્રહ કર્યો છે. આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ભારે ચિંતાનો વિષય છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ સંઘર્ષ જે 100 દિવસથી પણ વધુ સમયથી ચાલી રહ્યો છે, તેના કારણે અત્યંત મુશ્કેલીઓ ઊભી થઈ છે અને વૈશ્વિક અર્થતંત્ર પર પણ તેની અસર પડી છે.