Khambhat: રંગરેજની આમલી વિસ્તારમાં મકાન ધરાશાયી, દોડધામ. સદનસીબે જાનહાનિ ટળી.
Khambhat: રંગરેજની આમલી વિસ્તારમાં મકાન ધરાશાયી, દોડધામ. સદનસીબે જાનહાનિ ટળી.
Published on: 30th March, 2026

ખંભાતમાં રંગરેજની આમલી વિસ્તારમાં રવિવારે સવારે એક મકાન અચાનક ધરાશાયી થતા ખળભળાટ મચી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ મકાનનો કાટમાળ રોડ પર ફેલાતા વાહન વ્યવહાર ખોરવાયો. જર્જરીત મકાનો અંગે નગરપાલિકામાં વારંવાર અરજીઓ છતાં નિકાલ ન થતા લોકોમાં રોષ છે. ગેરકાયદે બાંધકામ અને દબાણો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ અંગે પાલિકાના સંબંધિત વિભાગોમાં રજૂઆતો છતાં સ્થિતિ 'જૈસે થે' રહેતા નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.