બાંગ્લાદેશમાં અલ-કાયદાનો પગપેસારો
બાંગ્લાદેશમાં અલ-કાયદાનો પગપેસારો
Published on: 19th August, 2026

બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તા પરથી દૂર થતાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. અલ-કાયદા સાથે જોડાયેલા હારૂન ઇજ્જહારે હિન્દુઓને ખુલ્લેઆમ ધમકી આપતો વીડીયો વાયરલ થયો છે, જેમાં તેણે હિન્દુઓને સરળતાથી મારી શકાય છે તેવો દાવો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમીતીએ પણ ચેતવણી આપી છે કે અલ-કાયદા ભારતીય ઉપખંડમાં બાંગ્લાદેશને આધાર બનાવી આતંકવાદી સેલ સ્થાપવા માંગે છે. આ ઘટનાઓ બાંગ્લાદેશને કટ્ટરપંથીઓ દ્વારા આતંકવાદી કાર્યવાહીઓ ફેલાવવા માટે અનુકુળ સ્થાન બનાવવાની શંકા વધારે છે.