સંસારની હાલત: લાગે છે લાગણી દુભાવ્યા વગર વાત કરવી અશક્ય
સંસારની હાલત: લાગે છે લાગણી દુભાવ્યા વગર વાત કરવી અશક્ય
Published on: 02nd August, 2026

વર્તમાન સમયમાં કોઈપણ વાત ખુલીને કરવી મુશ્કેલ બની ગઈ છે, કારણ કે લોકો તેને રાજકીય દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર એક સામાન્ય પોસ્ટ પણ વિવાદનું કારણ બની શકે છે. દરેક પેઢીની વિચારધારા અલગ છે. બૂમર્સ વોટ્સએપ ફોરવર્ડ જોઈને ખુશ થાય છે, જ્યારે મિલેનિયલ્સ ચિંતામાં છે. બીજી તરફ, Gen-Z આર્થિક ચિંતાઓથી મુક્ત હોવાથી દેશના મુદ્દાઓ પર સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. તેઓ ઘર ચલાવવાની જવાબદારી મિલેનિયલ્સ પર છોડીને દેશ કેમ ચલાવવો તે નક્કી કરવા માંગે છે, જે મિલેનિયલ્સ માટે આઘાતજનક છે.