સ્પેનમાં હજારો લોકો ખોરાક અને આશરા વિના પાછા ફર્યા, શું છે કારણ?
સ્પેનમાં હજારો લોકો ખોરાક અને આશરા વિના પાછા ફર્યા, શું છે કારણ?
Published on: 01st August, 2026

સ્પેનના Ceuta પ્રદેશમાં થયેલા મોટા સ્થળાંતર (Migration) સંકટ બાદ હજારો પ્રવાસીઓ સ્વયંભૂ મોરોક્કો પરત ફરી રહ્યા છે. આ દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી, જેમાં 57 લોકોના મોત થયા હતા. સ્પેનિશ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 50,000 થી વધુ પ્રવાસીઓમાંથી મોટાભાગના લોકો પોતાની મેળે પાછા જઈ રહ્યા છે. મોરોક્કોના સુરક્ષા દળોએ ભીડને રોકવા લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પ્રવાસીઓએ જણાવ્યું કે Ceuta પહોંચ્યા બાદ તેમને ખોરાક કે આશરો મળ્યો ન હતો. સ્પેનિશ સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને આ અચાનક થયેલા વધારા માટે જવાબદાર ગણાવવામાં આવ્યો છે.