સ્પેનમાં 60 હજાર મોરોક્કન ઘૂસણખોરોનો હાહાકાર
સ્પેનમાં 60 હજાર મોરોક્કન ઘૂસણખોરોનો હાહાકાર
Published on: 01st August, 2026

મહાન ચિત્રકાર સેલ્વેડોર ડાલીના દેશ સ્પેનમાં ૬૦ હજારથી વધુ મોરોક્કન ઘૂસણખોરોએ તાંડવ મચાવી દીધું છે. તેઓ ઘરોમાં પરાણે ઘૂસી જાય છે અને ખાવાપીવાની દરેક ચીજવસ્તુઓ આરોગી જાય છે. અનેક લોકો સેઉટા અને મેલિલામાં ઘૂસ્યા છે, સડકો અને પાર્ક પર કબ્જો જમાવી ગાડીઓ સળગાવી દીધી છે. સમુદ્ર માર્ગે થયેલી આ ઘૂસણખોરીમાં ૩૫થી વધુનાં મૃત્યુ થયાં છે. સ્પેન સરકારની મુશ્કેલી એ છે કે સુપ્રીમ કોર્ટે સમુદ્ર માર્ગે આવનારાઓને તરત દેશનિકાલ ન કરવાનો ચુકાદો આપ્યો છે. આ સ્થિતિથી યુરોપીય યુનિયનના દેશો, ખાસ કરીને ફ્રાંસ અને ઇટાલી ચિંતિત છે.