કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉ. મનમોહન સિંઘના તૈલચિત્રનું અનાવરણ
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉ. મનમોહન સિંઘના તૈલચિત્રનું અનાવરણ
Published on: 12th September, 2026

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સેન્ટ્રલ હૉલમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘના તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે, ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. કૌશિક બસુએ જણાવ્યું કે ડૉ. સિંઘ વિશ્વના સૌથી આદરણીય નેતાઓ પૈકીના એક હતા. તેઓએ ભારતને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢી વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી. કેમ્બ્રિજ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં માત્ર મહામેધાવી પૂર્વ વિદ્યાર્થીઓના જ ચિત્રો મૂકવામાં આવે છે, જે ડૉ. સિંઘની પ્રતિભા અને યોગદાન દર્શાવે છે.