હિમાલયની હિમનદીઓ ઝડપથી પીગળતા ભારતીય ઉપખંડમાં જળ સંકટનું જોખમ
હિમાલયની હિમનદીઓ ઝડપથી પીગળતા ભારતીય ઉપખંડમાં જળ સંકટનું જોખમ
Published on: 13th September, 2026

હિમાલયની હિમનદીઓ ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતાજનક રીતે ઝડપથી પીગળી રહી છે, જે ભારતીય ઉપખંડ અને આસપાસના વિસ્તારો માટે ગંભીર પરિણામો લાવી શકે છે. આનાથી માત્ર પાણીની ઉપલબ્ધતા જ નહીં, પરંતુ કૃષિ, પશુપાલન અને અબજો લોકોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ શકે છે. જો પ્રદૂષણ ઘટાડવામાં નહીં આવે તો ૨૧૦૦ સુધીમાં હિમાલયના ૮૦% ગ્લેસિયર્સ ગુમાવી શકે છે, જેના કારણે પૂર અને બરફ ધસી પડવાની ઘટનાઓ વધી શકે છે, જે બે અબજ લોકોના જીવનને અસર કરશે.