દાહોદ: સંજેલી નગરના પુષ્પસાગર તળાવનો મુખ્ય ઘાટ જોખમી બન્યો, ગ્રામજનોમાં ભારે રોષ
દાહોદ: સંજેલી નગરના પુષ્પસાગર તળાવનો મુખ્ય ઘાટ જોખમી બન્યો, ગ્રામજનોમાં ભારે રોષ
Published on: 26th July, 2026

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં આવેલું રજવાડી સ્ટેટ સમયનું પુષ્પસાગર તળાવ, વર્ષોની દેખરેખ અને રીપેરીંગના અભાવે અત્યંત દયનીય હાલતમાં છે. કાદવ, કચરો અને ગંદકીથી ભરેલા આ તળાવના મુખ્ય ઘાટની દુર્દશાને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી છે. આ તળાવ ધાર્મિક સ્થળો અને લોકોની રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલું છે. ઘાટ તૂટી જવા અને ધોવાણ થતાં, ચોમાસામાં પાણીનો સંગ્રહ પણ જોખમાયો છે. ગણેશ મહોત્સવ પહેલાં સમારકામ અને સફાઈની તાતી જરૂર છે.