બલૂચોએ ‘નૌકાદળ’ બનાવ્યું, પાકિસ્તાની જહાજ પર કર્યા ગોળીબાર, 3 સૈનિકના મોત.
બલૂચોએ ‘નૌકાદળ’ બનાવ્યું, પાકિસ્તાની જહાજ પર કર્યા ગોળીબાર, 3 સૈનિકના મોત.
Published on: 14th April, 2026

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સક્રિય બળવાખોર સંગઠન ‘બલૂચ લિબરેશન આર્મી (BLA)’એ ફરી પાકિસ્તાન સરકારની ચિંતા વધારી દીધી છે. બીએલએ બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે, જેના કારણે તેના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે અવારનવાર અથડામણો થતી રહે છે. અત્યાર સુધી BLAએ મોટાભાગે જમીની કાર્યવાહી કરી છે, જોકે હવે બીએલએ પોતાનું નૌકાદળ બનાવી દરિયામાં ખળભળાટ મચાવ્યો છે. તેણે ગ્વાદર વિસ્તારમાં પાકિસ્તાની જહાજ પર હુમલો કરી, ત્રણ સૈનિકોને મોતને ઘાટ ઉતારી પોતાનું પ્રથમ દરિયાઈ ઓપરેશન પાર પાડ્યું છે.