ઈરાને કહ્યું- 'ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં મદદ કરીશું અને ટોલ પણ નહીં લઈએ'.
ઈરાને કહ્યું- 'ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં મદદ કરીશું અને ટોલ પણ નહીં લઈએ'.
Published on: 13th April, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના ધ્વજ ધરાવતા ૧૫ જહાજો ફસાયા છે, જેમાં ક્રૂડ ટેન્કર અને ગેસ જહાજોનો સમાવેશ થાય છે. આ કટોકટી વચ્ચે ઈરાને ભારતને મદદની ખાતરી આપતા જણાવ્યું છે કે તેઓ ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા તૈયાર છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ સકારાત્મક વાતચીતની પુષ્ટિ કરતા કહ્યું કે, વર્તમાન તણાવ છતાં ભારત સાથેના મજબૂત સંબંધોને કારણે તેઓ જહાજોની અવરજવરમાં કોઈ અવરોધ ઊભો નહીં થવા દે.