ભારત વિકસિત થાય તે પહેલાં જ 'વૃદ્ધ' થઈ જશે, સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ
ભારત વિકસિત થાય તે પહેલાં જ 'વૃદ્ધ' થઈ જશે, સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ
Published on: 22nd August, 2026

સંયુક્ત રાષ્ટ્રના 'ઇન્ડિયા એજિંગ રિપોર્ટ-૨૦૨૩' મુજબ, ૨૦૫૦ સુધીમાં ભારતમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ૩૪.૭ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. ૨૫ વર્ષ પછી, દર પાંચ ભારતીયોમાંથી એક વૃદ્ધ હશે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમના રાજ્યો ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે, ત્યારે ઉત્તર ભારતમાં યુવા વસતી વધી રહી છે. દક્ષિણમાં પ્રજનન દર ૨.૧ રિપ્લેસમેન્ટ સ્તર કરતાં ઘણો ઓછો છે, જ્યારે બિહાર જેવા રાજ્યોની સરેરાશ ઉંમર ૨૩ વર્ષથી ઓછી છે. આ બદલાતી વસ્તી વિષયક સ્થિતિ ભારત માટે એક મોટો પડકાર છે.