હાફિઝ સઈદના પાપોના હિસાબનો સમય! સમન્સ પાઠવશે NIA!
હાફિઝ સઈદના પાપોના હિસાબનો સમય! સમન્સ પાઠવશે NIA!
Published on: 22nd August, 2026

પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) મોટી કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને વિદેશ મંત્રાલય મારફતે સમન્સ મોકલવામાં આવશે. સ્પેશિયલ NIA કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ગેરહાજરીમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 356 હેઠળ આ જોગવાઈ છે. NIA એ તેને હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક ગણાવ્યો છે.