NTAની વધુ એક ગંભીર બેદરકારી!
NTAની વધુ એક ગંભીર બેદરકારી!
Published on: 22nd August, 2026

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત AIAPGET પરીક્ષામાં જયપુરના એક કેન્દ્ર પર વીજળી ગુલ થતાં ગંભીર બેદરકારી સામે આવી છે. સત્ય સાઈ કોલેજ કેન્દ્ર પર પ્રથમ શિફ્ટ દરમિયાન પાવર કટને કારણે પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને મુશ્કેલી પડી હતી. પરીક્ષાર્થીઓએ ગોપનીયતા ભંગ થવાનો આરોપ લગાવ્યો હતો. NTA એ સ્વીકાર્યું કે M/S Eduquity Career Technologies Private Limited ની ખામીને કારણે આ થયું. અસરગ્રસ્ત 49 ઉમેદવારો માટે 1 સપ્ટેમ્બર 2026 ના રોજ ફરીથી પરીક્ષા યોજાશે.