Menu
દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત
દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત
Published on: 15th June, 2025

દાહોદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ગરમી અને બફારાના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે દાહોદ શહેર તેમજ જિલ્લામાં ઢળતી સાંજે ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અનેક સ્થળોએ વીજપોલ તેમજ વૃક્ષ ધરાશાયી થતા વિવિધ માર્ગો અવરોધિત થયા હતા. વીજપોલ પડી જતા અડધા શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને આફતરુપી આકાશી વીજળી પડવાથી ૩ ના મોત અને બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયો છે.