Menu
બનાસકાંઠામાં વરસાદી માહોલ: વાવમાં સૌથી વધુ 30 મિમી, થરાદમાં 24 મિમી અને દિયોદરમાં 21 મિમી વરસાદ નોંધાયો
બનાસકાંઠામાં વરસાદી માહોલ: વાવમાં સૌથી વધુ 30 મિમી, થરાદમાં 24 મિમી અને દિયોદરમાં 21 મિમી વરસાદ નોંધાયો
Published on: 15th June, 2025

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના 14 તાલુકામાંથી 10 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ વાવ તાલુકામાં 30 મિમી નોંધાયો છે. ત્યારબાદ થરાદમાં 24 મિમી અને દિયોદરમાં 21 મિમી વરસાદ નોંધાયો છે. સુઈગામમાં 19 મિમી, ભાભરમાં 17 મિમી અને લાખણીમાં 13 મિમી વરસાદ નોંધાયો છે. કાંકરેજમાં 11 મિમી વરસાદ પડ્યો છે. પાલનપુર અને ડીસામાં 4-4 મિમી તથા દાંતીવાડામાં 3 મિમી વરસાદ નોંધાયો છે. ધાનેરામાં માત્ર 1 મિમી વરસાદ પડ્યો છે. આખા દિવસના ભારે ઉકળાટ બાદ રાત્રે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા મગફળી અને બાજરીના પાકને નુકસાન થવાની આશંકા છે.