સુરેન્દ્રનગરનું દેદાદરા સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ
સુરેન્દ્રનગરનું દેદાદરા સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ
Published on: 01st August, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાનો કહેર યથાવત છે. વઢવાણ અને લખતર તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદને પગલે દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જ્યાં ઘરોમાં પાણી ભરાતા નુકસાન થયું છે અને પ્રાથમિક શાળા પણ ધરાશાયી થઈ છે. વઢવાણમાં 1000 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ પણ તૂટી પડ્યો છે. લખતરમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરેન્દ્રનગર શહેરના બંને અંડરબ્રિજ બંધ કરાયા છે. નાયકા ડેમમાં પાણીની આવક વધતાં 10 દરવાજા ખોલાયા છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.