Menu
વરસાદથી તારાજી : ખેડબ્રહ્મા પંથકમાં વાવાઝોડાથી શેડ, ઝાડ, વીજપોલ ધરાશાયી
વરસાદથી તારાજી : ખેડબ્રહ્મા પંથકમાં વાવાઝોડાથી શેડ, ઝાડ, વીજપોલ ધરાશાયી
Published on: 15th June, 2025

ખેડબ્રહ્મા પંથકમાં શુકવાર રાત્રે ભારે વાવાઝોડું ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ખેડબ્રહ્મા શહેરમાં શીત કેન્દ્ર સામે શાકભાજી અને ખાણીપીણીની લારીઓના વેપારીઓએ છાંયડા માટે બનાવેલ નેટના તમામ શેડ ધરાશાયી થઇ ગયા હતા. ઉપરાંત નવા મારવાડામાં રોડ નંબર 2 પર એક વીજપોલ અને ઝાડ પડી ગયા હતા. આ ઘટના મોડી રાત્રે બની હોય કોઈ જાનહાની ટળી હતી..જતિનસુથાર ખેડબ્રહ્માના કરુન્ડામાં વણઝારા રમેશભાઈ કોદરભાઈ ના કાચા મકાન ના પતરાનો શેડ ઉડી જતાં પરિવાર ઘર વગરનો થઈ ગયો હતો.