હવામાન અપડેટ: રાજસ્થાનમાં ગરમી, MP-હરિયાણામાં કરા, બિહાર-મહારાષ્ટ્રમાં વાવાઝોડાથી 11નાં મોત.
રાજસ્થાનના બાડમેરમાં 48.3°C તાપમાન નોંધાયું. MP-હરિયાણામાં કરા અને ભારે વરસાદ થયો. UPના બરેલીમાં વૃક્ષો-થાંભલા પડ્યા. બિહાર અને મહારાષ્ટ્રમાં વાવાઝોડા-વીજળીથી 11 લોકોના મોત થયા. ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચવાની શક્યતા છે.
હવામાન અપડેટ: રાજસ્થાનમાં ગરમી, MP-હરિયાણામાં કરા, બિહાર-મહારાષ્ટ્રમાં વાવાઝોડાથી 11નાં મોત.
કેરલમના CM તરીકે વી. ડી. સતીશન જાહેર, દિગ્ગજ નેતા કે. સી. વેણુગોપાલનું પત્તું કપાયું.
કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ નેતા વી. ડી. સતીશનનું નામ જાહેર થયું છે. દિગ્ગજ નેતા કે. સી. વેણુગોપાલને આ પદ મળ્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ટોચના નેતાઓ સાથે ચર્ચા બાદ આ નિર્ણય કર્યો છે. વી. ડી. સતીશન 2001 થી પરવૂર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને અગાઉ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 મેના રોજ જાહેર થયા હતા પણ 11 દિવસ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.
કેરલમના CM તરીકે વી. ડી. સતીશન જાહેર, દિગ્ગજ નેતા કે. સી. વેણુગોપાલનું પત્તું કપાયું.
ઓમાનમાં ભારતીય જહાજ પર હુમલો: ક્રૂ સલામત, ભારતની આકરા શબ્દોમાં નિંદા.
ઓમાનના દરિયાકાંઠે ગુજરાતના કાર્ગો જહાજ 'MSV હાજી અલી' પર ડ્રોન/મિસાઇલ હુમલો થયો, જે બાદમાં ડૂબી ગયું. આ ઘટનાને ભારત સરકારે 'અસ્વીકાર્ય' ગણાવી છે. સદનસીબે, તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે, ઓમાન કોસ્ટ ગાર્ડના તાત્કાલિક બચાવ કાર્ય બદલ ભારત તેમનો આભાર માન્યો છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે આ હુમલો આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરે છે.
ઓમાનમાં ભારતીય જહાજ પર હુમલો: ક્રૂ સલામત, ભારતની આકરા શબ્દોમાં નિંદા.
44 વર્ષના નક્સલી કમાન્ડર દેવજીએ 12મું ધોરણની પરીક્ષા આપી.
તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં પરિવર્તનની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. 62 વર્ષીય પૂર્વ માઓવાદી કમાન્ડર થિપ્પીરી તિરુપતિ ઉર્ફે 'દેવજી'એ હિંસાનો માર્ગ છોડીને હવે શિક્ષણની રાહ પકડી છે. દાયકાઓ સુધી હાથમાં બંદૂક લઈને જંગલોમાં ફરનારા આ પૂર્વ નક્સલી નેતાએ બુધવારે ધોરણ-12 (ઇન્ટરમીડિયેટ)ની પૂરક પરીક્ષા આપી હતી. આશરે 44 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ અને હથિયાર હેઠા મૂક્યા પછી, તેમણે પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે, જે સમાજમાં મુખ્યધારામાં પરત ફરવા માંગતા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
44 વર્ષના નક્સલી કમાન્ડર દેવજીએ 12મું ધોરણની પરીક્ષા આપી.
ભારત અને UAE શુક્રવારે LPG અને તેલ ભંડાર પર ઊર્જા કરારો પર હસ્તાક્ષર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૫ મેના રોજ ખાડી રાષ્ટ્રની મુલાકાત દરમિયાન ભારત અને UAE, LPG અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે બે મહત્વપૂર્ણ કરારો કરે તેવી અપેક્ષા છે, એમ સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોદીના UAE પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ઉર્જા સુરક્ષાને વધારવાનો રહેશે. યુરોપના પાંચ દિવસના ચાર દેશોના પ્રવાસ પર નીકળતા પહેલા વડાપ્રધાન લગભગ ચાર કલાક માટે ગલ્ફ રાષ્ટ્રમાં રહેશે. UAEએ વિશ્વના ટોચના તેલ નિકાસકારોના મુખ્ય જૂથ, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ(OPEC) છોડવાની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી આ મુલાકાત આવી છે.
ભારત અને UAE શુક્રવારે LPG અને તેલ ભંડાર પર ઊર્જા કરારો પર હસ્તાક્ષર કરશે.
ભારતનો માસ્ટર પ્લાન: હોર્મુઝ ટેન્શન અને LPG અછત દૂર કરશે.
ભારત સરકાર મધ્ય પૂર્વમાંથી ગેસ પુરવઠો જાળવવા બે મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ભારત હવે ઓમાનથી સીધી દરિયાઈ પાઈપલાઈન બિછાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ-વોટર પાઈપલાઈન નામ આપવામાં આવ્યું છે. અંદાજે 40,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ અરબ સાગરના તળિયે 2,000 કિલોમીટર લાંબો હશે. આ પાઈપલાઈન સમુદ્રમાં 3450 મીટરની ઊંડાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ વિશ્વની સૌથી ઊંડી દરિયાઈ પાઈપલાઈન પૈકીની એક હશે. આ માધ્યમથી દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસની સપ્લાય થઈ શકશે.
ભારતનો માસ્ટર પ્લાન: હોર્મુઝ ટેન્શન અને LPG અછત દૂર કરશે.
કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ પાછો ખેંચાયો, રુદ્રાક્ષ-જનોઈને પણ મંજૂરી.
કર્ણાટક સરકારે ૨૦૨૨માં સ્કૂલો-કોલેજોમાં હિજાબ પર લગાવેલ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. નવા આદેશ મુજબ, વિદ્યાર્થીઓને હિજાબ સાથે કલાવા, રુદ્રાક્ષ અને જનોઈ જેવા ધાર્મિક પ્રતીકો પહેરવાની પણ મંજૂરી આપવામાં આવી છે, જો તે શાળાનિયમોનું પાલન કરે. આ નિર્ણય મૂળ ૨૦૨૨ના તે આદેશને બદલી નાખે છે જેણે સમાનતા, એકતા અને જાહેર વ્યવસ્થાને અસર કરતા કપડાં પર પ્રતિબંધ મૂક્યો હતો. હિજાબ વિવાદ ૨૦૨૧ના અંતમાં શરૂ થયો હતો અને ત્યારબાદ અનેક કાયદાકીય પડકારો અને વિભાજિત સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ નિર્ણય લેવાયો છે.
કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ પાછો ખેંચાયો, રુદ્રાક્ષ-જનોઈને પણ મંજૂરી.
પ્રતીક યાદવના અંતિમ સંસ્કાર: કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શરીર પર જૂની ઈજાના નિશાન.
સપા પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવના લખનઉમાં અંતિમ સંસ્કાર થયા. 38 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું નિધન થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાયું, શરીર પર છ જૂની ઇજાઓ મળી. પ્રતીક, મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. પત્ની અપર્ણા યાદવ આસામથી પરત ફર્યા.
પ્રતીક યાદવના અંતિમ સંસ્કાર: કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શરીર પર જૂની ઈજાના નિશાન.
ગંગા ડેમ પ્રોજેક્ટ: બાંગ્લાદેશે ભારત સાથે વાત કરવાની જરૂર નથી તેમ કહ્યું.
બાંગ્લાદેશે પદ્મા (ગંગા) નદી પર વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી. આ પ્રોજેક્ટનો હેતુ ભારતના ફરક્કા બેરેજની અસરો ઘટાડવાનો છે. PM તારિક રહેમાનની અધ્યક્ષતા હેઠળ ECNEC એ પ્રથમ તબક્કાને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે બાંગ્લાદેશ સરકારના ભંડોળથી નિર્મિત થશે, જે 34,497.25 કરોડ ટકાનો છે.
ગંગા ડેમ પ્રોજેક્ટ: બાંગ્લાદેશે ભારત સાથે વાત કરવાની જરૂર નથી તેમ કહ્યું.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બુધવારે ખાંડના નિકાસ અંગે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.
અમેરિકામાં OPT વિઝા ગેરરીતિ: 10,000 વિદેશી વિદ્યાર્થીઓ તપાસ હેઠળ.
અમેરિકામાં OPT વિઝા કાર્યક્રમ હેઠળ 10,000 વિદેશી વિદ્યાર્થીઓ, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, શેલ કંપનીઓ દ્વારા મોટાપાયે છેતરપિંડીના આરોપસર તપાસ હેઠળ છે. અનેક વિદ્યાર્થીઓ એવી કંપનીઓ સાથે જોડાયેલા મળ્યા છે જ્યાં કોઈ કામગીરી ચાલતી નથી. કેટલીક કંપનીઓનું મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું પણ સામે આવ્યું છે.
અમેરિકામાં OPT વિઝા ગેરરીતિ: 10,000 વિદેશી વિદ્યાર્થીઓ તપાસ હેઠળ.
PM મોદીની અપીલ: સોનાની ખરીદી પર રાજકીય ચર્ચા.
ભારતીય પરંપરામાં સોના-ચાંદીના ઘરેણાં સુરક્ષા માટે હોય છે. PM મોદીએ બિનજરૂરી ખરીદી ટાળવા અપીલ કરી, પણ વિરોધ પક્ષોએ આને નિષ્ફળતા ગણાવી. ભારતે સોનાની આયાત પર $72 બિલિયન ખર્ચ્યા, જે ચિંતાનો વિષય છે. ખાદ્ય તેલની આયાત પર પણ મોટો ખર્ચ થાય છે. PMની અપીલ આર્થિક પરિસ્થિતિ અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે મહત્વની છે.
PM મોદીની અપીલ: સોનાની ખરીદી પર રાજકીય ચર્ચા.
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના.
સોના, ચાંદી તથા પ્લેટિનમ પર કસ્ટમ્સ ડયૂટી વધારવાના સરકારના નિર્ણયને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં સોનાની માગમાં ૧૦% જેટલો ઘટાડો જોવા મળવાની ધારણાં રાખવામાં આવે છે. વર્તમાન નાણાં વર્ષમાં જ્વેલરી માગમાં ૫-૭ ટકા જ્યારે એકંદર માગ ૧૦% જેટલી ઘટવાનો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબજા)ના મહામંત્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.સોનાચાંદીની વધી રહેલી આયાત પર અંકૂશ લાવીને આયાત બિલ ઘટાડવાના હેતુ સાથે સરકારે સોનાચાંદી પરની આયાત ડયૂટી ૬ ટકા પરથી વધારી ૧૫ ટકા કરી છે.
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના.
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયામાં નવો કડાકો બોલાઈ ગયો હતો. સરકારે હુંડિયામણ બચાવવા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી કર્યાના સમાચાર છતાં મુંબઈ કરન્સી બજારમં આજે રૂપિયો વધવાના બદલે વધુ તૂટી જતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૯૫.૬૪ વાળા આજે સવારે રૂ.૯૫.૬૦ ખુલી નીચામાં ભાવ એક તબક્કે રૂ.૯૫.૫૧ થયા હતા.
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો.
એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ.
માર્ચની સરખામણીએ એપ્રિલમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિકરાજકીય તાણ હળવી થયા બાદ ભારતીય ઈક્વિટીસમાં જોવા મળેલા સુધારા છતાં મ્યુચ્યુઅલ ફન્ડોએ હાથમાં રોકડનું ઊંચુ પ્રમાણ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો હતો. માર્ચમાં રૂપિયા ૧.૮૬ લાખ કરોડની સરખામણીએ એપ્રિલમાં ફન્ડ હાઉસો પાસે સંયુકત રીતે કેશ ઓન હેન્ડની માત્રા વધી રૂપિયા ૧.૯૯ લાખ કરોડ રહી હતી. એપ્રિલના અંતે ફન્ડોની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૮૧.૯૨ લાખ કરોડ સાથે વિક્રમી સપાટીએ રહી હતી.
એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ.
સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ.
સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ગરમીના કારણે છેલ્લા 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ નોંધાયા છે. મહત્તમ તાપમાન 45.5 ડીગ્રી સુધી પહોંચ્યું હતું. ગાંધી હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 6 બેડની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ હાલ કોઈને દાખલ કરવાની જરૂર પડી નથી. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.
સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ.
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ.
તમિલનાડુમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં મળેલ જીત પછી વિજય ફલોર ટેસ્ટમાં પણ પાસ થઇ ગયા છે. મુખ્યપ્રધાન વિજયે બુધવારે તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ મત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ટીવીકે ગઠબંધનવાળી સરકારને ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે ૨૩૪ સભ્યોવાળી વિધાનસભામાં વિજયની સરકારને ફલોર ટેસ્ટમાં પાસ થવા માટે ૧૧૮ સભ્યોની જરૂર હતી. ફલોર ટેસ્ટમાં વિધાનસભામાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ.
મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો: ત્રણનાં મોત, ચાર ઘાયલ.
ઉગ્રવાદીઓએ બે વાહનો પર ગોળીઓ ચલાવી હતીચર્ચના સભ્યો ધાર્મિક સભામાં સામેલ થયા પછી પરત ફરી રહ્યાં હતાં ત્યારે કરાયેલો હુમલોઇમ્ફાલ: બુધવારે મણિપુરનાં કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદી હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કોટઝિમ અને કોટલેન ગામોની વચ્ચે બની હતી. જ્યાં થાદો બેપટિસ્ટ એસોસિએશન (ટીબીએ)નાં સભ્યો એક ધાર્મિક સભામાં સામેલ થયા પછી ચુરાચાંદપુરથી પરત ફરી રહ્યાં હતાં.
મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો: ત્રણનાં મોત, ચાર ઘાયલ.
નીટ પેપર લીક: CBIના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ.
NEET પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવી પડી હતી. કેન્દ્ર સરકારે મામલો CBIને સોંપ્યો, જેમણે પાંચ આરોપીઓની જયપુર, ગુરુગ્રામ, નાસિકમાંથી ધરપકડ કરી છે. CBI દેશભરમાં તપાસ કરી રહી છે, અનેક સ્થળે દરોડા પાડી mobile, laptop જપ્ત કર્યા છે. મેડિકલ સંગઠન પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે સુપ્રીમ પહોંચ્યું.
નીટ પેપર લીક: CBIના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ.
મોદીની સલાહ છતાં કેન્દ્રીય મંત્રીનો લાંબો કાફલો.
PM મોદી પેટ્રોલ-ડીઝલ બચાવવા સલાહ આપે, તો કેન્દ્રીય મંત્રીઓ કાફલો વધારે. ગુરુગ્રામમાં રાવ ઇન્દ્રજીત સિંહનો લાંબો કાફલો ચર્ચામાં. ૧૦ મોટરો સાથે મંત્રી મીની સચીવાલય સામે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે દેશ આર્થિક મુશ્કેલીમાં, ને જનપ્રતિનિધિઓ જલસા કરે. મોટા હોદ્દા પરના લોકો સાદગી અપનાવે, તો જ સામાન્ય માણસ વાત માને.
મોદીની સલાહ છતાં કેન્દ્રીય મંત્રીનો લાંબો કાફલો.
મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર અને સપાના વડા અખિલેશ યાદવના ભાઇ પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે મોત નિપજ્યું છે. નિયમિત જીમમાં કસરત કરીને સિક્સ પેક એબ બનાવીને ચર્ચામાં રહેતા પ્રતીક યાદવનું અચાનક જ મોત થતા પરિવાર અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. પ્રતીકના ફેફસાની લોહીની નળીઓમાં ગઠ્ઠા જામી જવાને કારણે હાર્ટ પર અસર પડી તેથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.
મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર.
નેહરુના 4 વાહન, PMના 50!
અંગ્રેજોની બ્લુ બુક, જે બંધારણીય નથી, તે આજે પણ નેતાઓ સુરક્ષા પાછળ કરોડો ખર્ચે છે. PMની સુરક્ષા માટેના નિયમો બ્લુ બુકથી નક્કી થાય છે, જે અંગ્રેજોએ શરૂ કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રી સાદગી માટે જાણીતા હતા, તેમના કાફલામાં માત્ર ૩ વાહનો રહેતા હતા, જે આજના PMના 50 વાહનોથી તદ્દન વિપરીત છે.
નેહરુના 4 વાહન, PMના 50!
કાળઝાળ ગરમીથી અબોલ પશુઓને અપાશે રાહત.
નર્મદા જિલ્લાના એકતા નગર (કેવડિયા) ખાતે આવેલ સરદાર પટેલ જિયોલોજીકલ પાર્ક (જંગલ સફારી)માં ઉનાળાની કાળઝાળ ગરમીથી દેશી અને વિદેશી વન્યજીવોને બચાવવા માટે વન વિભાગ દ્વારા વિશેષ કૂલિંગ સિસ્ટમ, ફ્રોઝન ફૂડ અને24 કલાક મેડિકલ મોનિટરિંગ સહિતની હાઈટેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જંગલ સફારીમાં પ્રાણીઓની ગરમીમાં વિશેષ કારજી લેવામાં આવી રહી છે.
કાળઝાળ ગરમીથી અબોલ પશુઓને અપાશે રાહત.
NEET પેપર લીક: ભાજપ નેતા પર કોંગ્રેસના પ્રહાર.
રાજસ્થાનમાં NEET પેપર લીક મામલે ધરપકડ કરાયેલા આરોપી દિનેશ બિંવાલને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કૌભાંડનો મુખ્ય આરોપી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ પુરાવાઓ સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા પર દિનેશ બિંવાલના કેટલાક પોસ્ટર અને તસવીરો શેર કરી છે, જેમાં તે ભાજપના નેતાઓ અને પક્ષના ઝંડા સાથે જોવા મળે છે. ટીકારામ જુલી દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં દિનેશ બિંવાલને 'ભાજપ યુવા મોરચા (BJYM), જયપુર જિલ્લા દેહાતનો જિલ્લા મંત્રી' દર્શાવવામાં આવ્યો છે.
NEET પેપર લીક: ભાજપ નેતા પર કોંગ્રેસના પ્રહાર.
પ્રતીક યાદવના મૃત્યુનું કારણ: પોસ્ટમોર્ટમ રિપોર્ટના ચોંકાવનારા ખુલાસા
પ્રતીક યાદવનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સને કારણે થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી મહત્વની વાતો સામે આવી છે. ફેફસાની નસોમાં લોહી ગંઠાઈ જવાને કારણે હૃદય અને શ્વાસ લેવાની પ્રક્રિયા અચાનક બંધ થઈ ગઈ, જેનાથી મૃત્યુ થયું. ડોક્ટરોએ વધુ તપાસ માટે હૃદય અને ફેફસાં સાથે જોડાયેલા કેટલાક નમૂનાઓ સુરક્ષિત રાખ્યા છે. આ સિવાય, શરીરના કેટલાક અંગો (વિસેરા)ને પણ રાસાયણિક તપાસ માટે સુરક્ષિત કરી પોલીસને સોંપવામાં આવ્યા છે.
પ્રતીક યાદવના મૃત્યુનું કારણ: પોસ્ટમોર્ટમ રિપોર્ટના ચોંકાવનારા ખુલાસા
એન. રંગાસામી 5મી વખત પુડુચેરીના CM, કેરળ CMની જાહેરાત સંભવ.
સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો: ખરીદી હવે મોંઘી.
ઈરાનમાં સંઘર્ષ અને વિદેશી હૂંડિયામણ પર અસરને કારણે, સરકારે સોના અને ચાંદીની આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે. આયાત નિયંત્રિત કરવા, વેપાર ખાધ ઘટાડવા અને રૂપિયાને મજબૂત બનાવવા આ નિર્ણય લેવાયો છે. PM મોદીની અપીલ બાદ આ પગલું લેવાયું છે, જે ગોલ્ડ ETF માં રોકાણ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો: ખરીદી હવે મોંઘી.
મુખ્યમંત્રી, DyCM, રાજ્યપાલના કાફલામાં ઘટાડો, બસ/ટ્રેનમાં પ્રવાસ.
અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ઈંધણની અછતની શક્યતા છે. વડાપ્રધાન મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલનો ગુજરાતમાં અમલ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે બસ કે ટ્રેનમાં મુસાફરી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી ચાર ગાડીઓ ઓછી કરી છે. DyCM હર્ષ સંઘવીએ પણ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો અને કાફલામાં ત્રણ કાર રાખશે. ગૃહ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી થશે.
મુખ્યમંત્રી, DyCM, રાજ્યપાલના કાફલામાં ઘટાડો, બસ/ટ્રેનમાં પ્રવાસ.
PM મોદીની અપીલ: 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા કડક નિર્દેશ.
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવનારા કોઈ પણ મોટા આર્થિક કે ઊર્જા સંકટનો સામનો કરવાનો છે.
PM મોદીની અપીલ: 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા કડક નિર્દેશ.
RBI એ સર્વોદય સહકારી બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું.
RBI એ નિયમોના ઉલ્લંઘન અને નબળી નાણાકીય સ્થિતિને કારણે મુંબઈ સ્થિત સર્વોદય સહકારી બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું છે. 12 મે, 2026 થી બેંક કામગીરી બંધ કરશે. 98.36% થાપણદારોને DICGC દ્વારા ₹5 લાખ સુધી વીમા કવચ હેઠળ નાણાં પાછા મળશે. લિક્વિડેટર નિયુક્ત કરાશે.