લખતર: અતિ ભારે વરસાદથી શહેર અને ગ્રામ્યના ૨૦૦ વીઘાથી વધુ વિસ્તારના પાકને ભારે નુકસાન
લખતર: અતિ ભારે વરસાદથી શહેર અને ગ્રામ્યના ૨૦૦ વીઘાથી વધુ વિસ્તારના પાકને ભારે નુકસાન
Published on: 04th August, 2026

લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ થયેલા અતિ ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે વિનાશ સર્જાયો હતો. લખતર તાલુકાના અનેક ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ખેડૂતોના ખેતરોમાં ૨૦૦ વીઘાથી વધુ વિસ્તારમાં વાવેલા કપાસ, એરંડા, જુવાર, અને તલ જેવા પાકોને ભારે નુકસાન થયું છે. પાણી ભરાવાથી તમામ ઊભા પાકો નાશ પામ્યા છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે.