ખેડા જિલ્લાના ખાખરિયા ગામનું 999 વીઘાનું તળાવ ઓવરફ્લો
ખેડા જિલ્લાના ખાખરિયા ગામનું 999 વીઘાનું તળાવ ઓવરફ્લો
Published on: 03rd August, 2026

અંગ્રેજોના શાસનકાળમાં ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામમાં 999 વીઘામાં બનેલું તળાવ 'મીની સરોવર' તરીકે પ્રખ્યાત છે. સતત વરસાદને કારણે આ ઐતિહાસિક તળાવ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં આનંદ છવાયો છે. આ તળાવના પાણીથી ફ્તેપુરા, બૈડપ, ગંગાના મુવાળા, તખું ના મુવાળા અને માયરા ના મુવાળા ગામોના લગભગ 100 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા છે, જેથી આગામી સિઝનમાં પાણીની અછત ટળી શકે છે.