ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય, છતાં ભારે વરસાદ નહીં
હાલ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં, રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. અમદાવાદમાં આગામી દિવસોમાં મહદંશે વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 13% વધુ જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 26% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે રાજ્યમાં સરેરાશ 4% વરસાદની ઘટ છે. માછીમારો માટે આગામી 5 દિવસ સુધી કોઈ ચેતવણી નથી.
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય, છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય
ગુજરાતના નાગરિકો અને ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ IMD ની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે. હાલ ગુજરાત પર અને આસપાસ 4 સિસ્ટમ એક્ટિવ હોવા છતાં, દક્ષિણ-પશ્ચિમ પવનોના કારણે ભારે વરસાદની શક્યતા ઓછી છે. માછીમારો માટે આગામી 5 દિવસ દરિયો ખેડવા અંગે કોઈ ચેતવણી નથી.
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય
સુરતના માંડવી નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામ પાસે આવેલી 'N.U. Citizen' નામની છત્રીનું કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. કાપડના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણો અને નુકસાન અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સુરતના માંડવી નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ
અમદાવાદના વાડજ રામાપીર ટેકરા પાસે ડ્રેનેજ કામમાં ભેખડ ધસી પડી
અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને મહેનત કરીને શ્રમિકને સુરક્ષિત બહાર કાઢ્યો. આ ઘટના સેક્ટર-2 રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બની હતી. શ્રમિકને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાડજ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના વાડજ રામાપીર ટેકરા પાસે ડ્રેનેજ કામમાં ભેખડ ધસી પડી
સુરતમાં ૧ વર્ષથી સીલ માર્કેટમાંથી મળ્યું માનવ કંકાલ
સુરતના ઉધનામાં છેલ્લા એક વર્ષથી સીલ કરવામાં આવેલ જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઉધના-નવસારી મેઈન રોડ પર આવેલી આ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરક્ષાના કારણોસર સીલ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને FSL ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થળ પરથી મળેલી ડાયરી અને DNA રિપોર્ટના આધારે આ હત્યા છે કે આત્મહત્યા, તે રહસ્ય ઉકેલાય તેવી શક્યતા છે.
સુરતમાં ૧ વર્ષથી સીલ માર્કેટમાંથી મળ્યું માનવ કંકાલ
22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmph પવનની ચેતવણી
હવામાન વિભાગ (IMD) દ્વારા 24 ઓગસ્ટ માટે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmph ની ઝડપે પવન ફૂંકાવાની ભયંકર ચેતવણી જાહેર કરવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થવા અને પાકને નુકસાન થવાનો ભય છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, જ્યારે પૂર્વી રાજ્યોમાં વીજળી પડવા અને કરા પડવાની પણ શક્યતા છે. માછીમારોને દરિયાથી દૂર રહેવાની સૂચના છે.
22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmph પવનની ચેતવણી
છોટા ઉદેપુરની KGBV શાળામાં બિલ કૌભાંડ!
છોટા ઉદેપુરના ઝોઝ ખાતેની કસ્તુરબા ગાંધી વિદ્યાલય (KGBV) માં ભોજન અને અન્ય સામગ્રીની ખરીદીમાં બમણી રકમનું બિલ રજૂ કરવાના આક્ષેપ બાદ વિવાદ વકર્યો છે. નવા સત્રના બે મહિના પછી પણ વિદ્યાર્થિનીઓને ડ્રેસ-શૂઝ ન મળતાં આદિવાસી સમાજમાં રોષ છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે અને સંબંધિત શિક્ષકોને નોટિસ ફટકારી છે. તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે કાર્યવાહી થશે.
છોટા ઉદેપુરની KGBV શાળામાં બિલ કૌભાંડ!
ભાવનગરના મથાવડા તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામે એક દુ:ખદ ઘટના બની છે. ગામના તળાવમાં નહાવા પડેલા ચાર યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોએ બચાવ કાર્ય હાથ ધર્યું. બે યુવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરંતુ અન્ય બે યુવાનોના મોત નિપજ્યા. મૃતકોમાં 18 વર્ષીય તુષાર શિયાળ અને 22 વર્ષીય મિલન શિયાળનો સમાવેશ થાય છે. મિલન શિયાળ પૂર્વ સાંસદ ભારતીબહેન શિયાળના સંબંધી હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે તળાજા હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છે.
ભાવનગરના મથાવડા તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મોત
ઉમરગામની યુવતી પર દુષ્કર્મ કરી બિભત્સ ફોટા વાઈરલ કરાયા
ઉમરગામ વિસ્તારમાં એક 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરીને તેના બિભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપનાર આરોપી સોનુકુમાર ધુરન ઉત્તીમલાલ સાહ, જે મૂળ યુ.પી.નો વતની છે અને હાલ બેંગ્લોરમાં નોકરી કરે છે, તેને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. યુવતી અને આરોપી વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધમાં શારીરિક શોષણ થયું હતું. બાદમાં આરોપીએ યુવતી, તેના પિતા અને સગાંને ફોટા મોકલી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ઉમરગામની યુવતી પર દુષ્કર્મ કરી બિભત્સ ફોટા વાઈરલ કરાયા
સુરતમાં અખાદ્ય પદાર્થો બાદ બીમાર કુકનો ખતરો!
સુરતમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનાઓ બાદ આરોગ્ય વિભાગે ખાદ્ય એકમો પર મેગા ચેકિંગ શરૂ કર્યું છે. પાંડેસરા-ગુલશન નગર વિસ્તારમાં ફૂડ રેડ દરમિયાન એક ચોંકાવનારી બેદરકારી સામે આવી, જ્યાં ચામડીના રોગથી પીડિત એક કર્મચારી ખાદ્યપદાર્થ બનાવતો ઝડપાયો. અધિકારીઓએ તેને તાત્કાલિક કામગીરીથી દૂર રહેવા અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ ન કરે ત્યાં સુધી કામ પર ન રાખવાની સૂચના આપી. આ ઘટનાએ ખાણી-પીણીના એકમોમાં સ્વચ્છતા અને કર્મચારીઓના આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સુરતમાં અખાદ્ય પદાર્થો બાદ બીમાર કુકનો ખતરો!
જામનગરના હરિપરમાં નકલી દૂધ ડેરીઓ પર દરોડા
જામનગરના હરિપર ગામે 'નકલી દૂધ'ના મોટા કારોબાર પર રાજકોટ રેન્જ ટીમે મોટી કાર્યવાહી કરી. છ ડેરીઓ અને રહેણાંક મકાનોમાં દરોડા પાડી 7,150 લિટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કરાયો. ખાદ્ય સુરક્ષા વિભાગે દૂધના નમૂના લઈ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે ભેળસેળની શંકા છે, પરંતુ લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટતા થશે. આરોગ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે આ જથ્થો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો છે.
જામનગરના હરિપરમાં નકલી દૂધ ડેરીઓ પર દરોડા
છોટા ઉદેપુરની શિફા મફતે ગ્રીસમાં તાલીમ લઈને પાયલોટ બની
છોટા ઉદેપુરની શિફા હુસેનશબ્બીર મફતે દ્રઢ મનોબળ અને સખત મહેનતથી પાયલોટ બનવાનું સપનું સાકાર કર્યું છે. નાનપણથી જ આકાશમાં ઉડાન ભરવાની ઈચ્છા સાથે, તેણે તમામ પડકારોને પાર કરીને એવિએશન ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે. પ્રાથમિક શિક્ષણ છોટા ઉદેપુરથી મેળવ્યા બાદ, ઉચ્ચ શિક્ષણ માટે UAE ગઈ અને ત્યાંથી હાઈસ્કૂલ પૂર્ણ કરી. પાયલોટ બનવા માટે ગ્રીસમાં એરલાઇન ટ્રાન્સપોર્ટ પાઇલટ લાઇસન્સ (ATPL-A) માટે કડક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી. શિફા હાલ ૨૨૭ કલાકથી વધુનો ફ્લાઇટ એક્સપિરિયન્સ ધરાવે છે.
છોટા ઉદેપુરની શિફા મફતે ગ્રીસમાં તાલીમ લઈને પાયલોટ બની
જામનગરના જોડિયાના વાવડી ગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ
જામનગરના કામગીરીના વિરોધમાં ખેડૂતોનું શાંતિપૂર્ણ આંદોલન ચોથા દિવસે પહોંચ્યું છે. સરપંચ સહિત ગામના સાત આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ઉપવાસ દરમિયાન એક ઉપવાસીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ખેડૂતોની માંગણીઓ અંગે તંત્ર અને વીજ કંપની દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ આગેવાનોએ વ્યક્ત કર્યો છે. આસપાસના ગામોના ખેડૂતો પણ સત્યાગ્રહને સમર્થન આપી રહ્યા છે.
જામનગરના જોડિયાના વાવડી ગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ
જામનગરમાં સાસુ-જમાઈ પક્ષના ઝઘડામાં મહિલાએ યુવકના અંગૂઠા પર બટકું ભર્યું
જામનગર તાલુકાના નાઘેડી ગામે પારિવારિક મામલે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં એક મહિલાએ યુવક સાથે ઝપાઝપી કરી તેના જમણા હાથના અંગૂઠામાં બટકું ભરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. નાઘેડી ગામના ઈમરાન પતાણી પોતાના ઘરે હાજર હતા ત્યારે ગુલબાનુબેન મથુપૌત્રા ત્યાં આવી દીકરી અંગે બોલાચાલી કરતાં મામલો બિચક્યો હતો. આરોપી મહિલાએ ઈમરાનને ઢીકાપાટુનો માર મારી અંગૂઠામાં બટકું ભરતાં નખ પાસે ગંભીર ઈજા થઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં સાસુ-જમાઈ પક્ષના ઝઘડામાં મહિલાએ યુવકના અંગૂઠા પર બટકું ભર્યું
વારાણસીમાં ગંગાનું ઉગ્ર સ્વરૂપ
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદ બાદ ગંગા અને તેની સહાયક નદી વરુણાનું ભયાવહ સ્વરૂપ જોવા મળ્યું. વરુણા નદીની જળસપાટી ઝડપથી વધતાં કિનારાના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. અનેક પરિવારોએ ઘર છોડી સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે. દશાશ્વમેધ ઘાટ સહિત અનેક ઘાટો અને મંદિરો પણ ગંગાના વધતા જળસ્તર હેઠળ ગરકાવ થઈ ગયા છે. બંને નદીઓના પ્રકોપથી વારાણસીમાં ચિંતાનો માહોલ છે.
વારાણસીમાં ગંગાનું ઉગ્ર સ્વરૂપ
જામનગર અને ધ્રોલ પોલીસે કર્યા દારૂના બે દરોડા
જામનગર અને ધ્રોલ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા પર અલગ-અલગ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 10,800 ના દારૂ અને વાહન કબજે કરાયા છે. એક આરોપીને ઝડપી લેવાયો છે, જ્યારે અન્ય બે ફરાર છે. સીટી ‘એ’ ડિવિઝન પોલીસે લાલવાડીમાંથી વિપુલ ઉર્ફે જોની ઢાપાના કબજામાંથી દારૂ ઝડપ્યો, જેમાં તે અને અનિલ મેર સામે ગુનો નોંધાયો. ધ્રોલ પોલીસે લતીપર રોડ પરથી વિજયસિંહ જાડેજાને ઝડપી પાડ્યો, જ્યારે કેમટાભાઈ મેહડા ફરાર છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર અને ધ્રોલ પોલીસે કર્યા દારૂના બે દરોડા
જામનગર નજીક દડીયામાં પિતા-પુત્ર પર 6 શખ્સોનો હુમલો
જામનગર તાલુકાના દડીયા ગામ પાસે, કુબેર પાર્ક નજીક એક જ્ઞાતિની યુવતી સાથે સામાન્ય ફોન પર વાતચીતના કારણે પિતા-પુત્ર પર 6 શખ્સોએ પાઈપ, ધોકા અને બેટ વડે હુમલો કર્યો. ખેડૂત મનસુખભાઈ રામજીભાઈ લખીયર અને તેમના પુત્ર કૌશિક પર આડેધડ માર મારવામાં આવ્યો, જેમાં મનસુખભાઈને ડાબા હાથની આંગળી, પગના અંગૂઠા અને ઘૂંટણથી નીચે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે તમામ 6 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક દડીયામાં પિતા-પુત્ર પર 6 શખ્સોનો હુમલો
જામનગરમાં સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું
Jamnagar: જામનગરમાં ચન્દ્રાગા ગામ નજીક રહેતી 15 વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા સાગર અબ્દુલભાઈ બામણીયા નામના યુવકે પ્રેમસંબંધ બાંધી તેને લલચાવી-ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગીરાના પરિવારજનો કામસર બહાર ગયા હતા ત્યારે સાગરે તેને ગજણા ગામના વાડી વિસ્તારમાંથી લઈ જઈ લાલપુર નજીક મિત્રની વાડીમાં બે અઠવાડિયા સુધી ગોંધી રાખી અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પરિવારજનોને જાણ થતાં સગીરાને પરત લાવ્યા બાદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
જામનગરમાં સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું
નવ પરિણીતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગરના કર્મચારીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય નવ પરિણીતા મનિષાબેન દિનેશભાઈ બારિયાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતકના પતિ દિનેશભાઈ બારિયાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃત્યુના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.
નવ પરિણીતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માત
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલી એક ખાનગી કંપનીમાં અકસ્માત થતાં ટ્રક ડ્રાઇવર રાજશીભાઈ મેરામણભાઈ કંડોરીયા (ઉ.વ. 39) નું મૃત્યુ થયું. ઠાકર શેરડી ગામના રહેવાસી આ ડ્રાઇવર ડમ્પર પાર્ક કર્યા બાદ ટાયરમાં પથ્થર મૂકવા નીચે ઉતર્યા ત્યારે અકસ્માતે ટ્રક નીચે સરકી જતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માત
પાકિસ્તાનથી 150 દુલ્હનો ભારત પહોંચી, અમદાવાદ સહિતના શહેરોમાં લગ્ન સંપન્ન
ભારત-પાકિસ્તાન તણાવ બાદ વાઘા-અટારી બોર્ડર બંધ થતાં અનેક યુગલોના લગ્ન અટકી ગયા હતા. જોકે, ગૃહ મંત્રાલયની ખાસ છૂટછાટ બાદ લગભગ 150 પાકિસ્તાની દુલ્હનો મસ્કટ, કોલંબો, ઢાકા, દુબઈ અને કતાર જેવા શહેરો મારફતે કનેક્ટિંગ ફ્લાઇટ્સ દ્વારા ભારતમાં પહોંચી. આ યુવતીઓ પોતાના પરિવારો સાથે નાગપુર, જોધપુર, અમદાવાદ, રાયપુર, પુણે અને ભોપાલ જેવા શહેરોમાં લગ્ન સંપન્ન કર્યા. વીઝાની પાબંદીઓ અને નિયમોને કારણે આ તમામ લગ્નો ખૂબ જ સાદગીપૂર્વક યોજાયા હતા, જેમાં 450 થી વધુ સગાં-સંબંધીઓ પણ સામેલ થયા હતા.
પાકિસ્તાનથી 150 દુલ્હનો ભારત પહોંચી, અમદાવાદ સહિતના શહેરોમાં લગ્ન સંપન્ન
વાંસજાળીયા ગામના 27 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી અચાનક મોત
જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામે રહેતા 27 વર્ષીય જયસુખભાઈ ઘનજીભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ડાયાબિટીસથી પીડાઈ રહેલા યુવાનને ગત રાત્રે ગભરામણ થઈ હતી. સવારે બાથરૂમ જતી વખતે શ્વાસ ચડતાં ચક્કર આવ્યા અને બાદમાં હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું. તેમની પત્ની બંસીબેને પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસજાળીયા ગામના 27 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી અચાનક મોત
37 વર્ષ જૂના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં જામીન અરજી નામંજૂર
જામનગરમાં વર્ષ 1990માં થયેલ સોનાની દાણચોરી અને ગેરકાયદેસર આયાતના કેસમાં જામ ખંભાળીયાની કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. કસ્ટમ વિભાગના સ્પે. પી.પી. જમન કે. ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી, કોર્ટે જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી આરોપીઓ ફરાર રહ્યા છે અને કેસને લંબાવવાનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં 1990માં દુબઈથી આવતા એક વહાણમાંથી 27 સોનાના બિસ્કીટ સાથે 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.
37 વર્ષ જૂના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં જામીન અરજી નામંજૂર
ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક ૧૩ પર પહોંચ્યોં
ભાવનગરના નકલી દારૂકાંડમાં મોતનો આંકડો ૧૩ પર પહોંચ્યો છે. આજે મહીસાગરના મુકેશ ડામોર અને ભાવનગરની ખાનગી બેન્કમાં ફરજ બજાવતા ભાર્ગવ ઉપાધ્યાયના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૬૧ લોકોની તબિયત લથડી છે, જેમાં ૧૦ લોકોની સ્થિતિ અત્યંત નાજુક અને ગંભીર છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૨૧ લોકો સામે ગુનો નોંધી ૧૩ આરોપીઓને જેલહવાલે કર્યા છે. મુખ્ય આરોપી ‘રઈશ’ના ૩૧મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આ ઘટનામાં મિથેનોલનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક ૧૩ પર પહોંચ્યોં
જેઠાણીના પ્રેમીએ દેરાણી-નણંદના અશ્લીલ ફોટો અને રીલ્સ વાઈરલ કરી બદનામી કરી
અમદાવાદના મણિનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા મહિલાની બદનામીનો એક મામલો સામે આવ્યો છે. જેમાં જેઠાણીના પ્રેમીએ દેરાણીના અન્ય શખસ સાથેના અશ્લીલ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા. એટલું જ નહીં, ઈન્સ્ટાગ્રામ પર પણ આપત્તિજનક રીલ્સ બનાવી અપલોડ કરાયા હતા. પીડિતાના પતિએ મોબાઈલ ચેક કરતાં આ વાત બહાર આવી. તપાસમાં જાણવા મળ્યું કે આ કૃત્ય જેઠાણીનો પ્રેમી લખન પ્રજાપતિ કરી રહ્યો હતો. લખન દ્વારા સતત ત્રાસ અપાતા પીડિતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેઠાણીના પ્રેમીએ દેરાણી-નણંદના અશ્લીલ ફોટો અને રીલ્સ વાઈરલ કરી બદનામી કરી
વડોદરાના વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં 43 વર્ષીય આધેડનું કરુણ મોત
વડોદરાના તલસટ ગામે વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલાથી 43 વર્ષીય રણછોડભાઈ રાઠોડનું મોત થયું. રાત્રે લઘુશંકા કરવા જતા પાણીમાં પડી જતાં મહાકાય મગરે હુમલો કર્યો. ગ્રામજનોએ પ્રયાસ કરી છોડાવ્યા, પણ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થયું. આ ઘટનાએ નદી કાંઠાના ગામોની સુરક્ષા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો અને પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરાના વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં 43 વર્ષીય આધેડનું કરુણ મોત
લોન અપાવવાની લાલચ આપી 7 લોકો સાથે 3.61 લાખની છેતરપિંડી
વડોદરામાં લોન અપાવવાના બહાને એક ઠગે 7 લોકો પાસેથી કુલ 3.61 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફતેગંજ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી નિલેશ ચંદુભાઇ પટેલ, જે નાસ્તાની લારી ચલાવતા સંદીપભાઇ પુજાલાલ પ્રજાપતિ પાસેથી ઓળખાણ કેળવી હતી. તેણે 30 ટકા સબસિડીવાળી 4 લાખની લોન અપાવવાનું કહી એડવાન્સ પેટે 1.66 લાખ સંદીપભાઇ પાસેથી અને અન્ય 6 લોકો પાસેથી 1.94 લાખ પડાવી લીધા હતા. બાદમાં આરોપીએ મકાન ખાલી કરીને મોબાઈલ બંધ કરી દીધો હતો.
લોન અપાવવાની લાલચ આપી 7 લોકો સાથે 3.61 લાખની છેતરપિંડી
ઈદે મિલાદ પૂર્વે અમદાવાદ શહેરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ
આગામી 26મી ઓગસ્ટે ઉજવાનારા ઈદે મિલાદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ઊભો કરવા સંવેદનશીલ વિસ્તારોમાં મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ કવાયતનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાવવાનો અને તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે. શાંતિ સમિતિ સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી.
ઈદે મિલાદ પૂર્વે અમદાવાદ શહેરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ
છોટા ઉદેપુરના કવાંટમાં બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં ટ્રાફિકની સમસ્યા અને રસ્તા પરના અતિક્રમણને દૂર કરવા મેગા ડિમોલિશન ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રહી. મામલતદાર કચેરીથી નસવાડી અને બોડેલી રોડ સુધીના મુખ્ય માર્ગો પર બુલડોઝરે 200 જેટલા કાચા-પાકા દબાણો, શેડ અને કેબિનો હટાવ્યા. લાંબા સમયથી રસ્તાના માર્જિન પર થયેલા દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા હતી. ડિમોલિશન દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી, પરંતુ પોલીસે મામલો થાળે પાડ્યો.
છોટા ઉદેપુરના કવાંટમાં બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું
ઈન્સ્ટાગ્રામ પર દોસ્તીની લાલચ આપી યુવક પાસેથી 9.50 લાખની છેતરપિંડી
અમદાવાદમાં Instagram પર સ્પોન્સર્ડ એડ જોઈને એક યુવક મોંઘી છેતરપિંડીનો શિકાર બન્યો. મધ્ય પ્રદેશના 24 વર્ષીય યુવકે યુવતી સાથે મુલાકાતની લાલચમાં આવીને સૌપ્રથમ 500 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવી. ત્યારબાદ, પસંદ કરેલી યુવતીને મળવા માટે હોટલ ચાર્જ અને અન્ય બહાના હેઠળ કુલ 9.50 લાખ રૂપિયા ગુમાવ્યા. રિફંડ ન મળતાં યુવકે સાયબર ક્રાઈમનો સંપર્ક કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઈન્સ્ટાગ્રામ પર દોસ્તીની લાલચ આપી યુવક પાસેથી 9.50 લાખની છેતરપિંડી
સોફ્ટવેર એન્જિનિયરની હત્યા બાદ પત્ની પર છાતી પર કૂદી ક્રૂરતાનો આરોપ
દિલ્હીના નિહાલ વિહારમાં Adobe કંપનીના Software Engineer વિનય ગુપ્તાની પત્નીના સગાંઓ દ્વારા હત્યા કરવામાં આવી. માતાના હૈયાફાટ રુદનમાં જણાવ્યું કે, નજર સામે દીકરાની છાતી પર કૂદીને, પેટમાં લાતો મારી હત્યા કરાઈ. વિનયની બહેને આક્ષેપ કર્યો કે આ પૂર્વઆયોજિત ષડયંત્ર હતું. પત્ની માત્ર 10 મિનિટમાં 6 સગાંને લઈ આવી, જ્યારે સાસરું 30 મિનિટ દૂર છે. CCTV કેમેરા બંધ કરાયા. કેન્સર પીડિત પિતા અને વૃદ્ધ માતા તેને બચાવી શક્યા નહીં. પોલીસ તપાસમાં 4 આરોપીઓની અટકાયત, એક ફરાર.