સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા ખાતે જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ
સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા ખાતે જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ
Published on: 31st July, 2026

ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરના સૂચન બાદ, સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત નિમિત્તે આયોજિત વિશેષ રાત્રિ આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય જાહેર સુરક્ષા અને નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને લેવાયો છે, અને AMC દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરાઈ છે.