વડોદરામાં વરસાદમાં ફતેપુરા અને ચોખંડીમાં બે મકાન ધરાશાયી
વડોદરામાં વરસાદમાં ફતેપુરા અને ચોખંડીમાં બે મકાન ધરાશાયી
Published on: 31st July, 2026

વડોદરામાં ભારે વરસાદને કારણે ફતેપુરા અને ચોખંડી વિસ્તારોમાં બે જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. ફતેપુરા રોડ પર એક બનાવમાં ત્રણ વાહનો દબાયા હતા. કોર્પોરેશન દ્વારા ૮૦૦થી વધુ મકાનોને નોટિસ અપાઈ હોવા છતાં પરિણામ મળ્યું નથી. ચોખંડીમાં ઓમકારેશ્વર મંદિર પાસે મકાન પડતાં રહીશોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી. ફતેપુરા મેઇન રોડ પર પણ મકાનનો ભાગ પડતાં રિક્ષા અને ટુવ્હીલરને નુકસાન થયું, જેના કારણે એક તરફનો રસ્તો બંધ કરાયો અને ટ્રાફિક જામ થયો.