નવસારીના ગણદેવામાં ટેમ્પો વીજ વાયરને અડ્યો, કરંટથી 3ના મોત અને 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નવસારીના ગણદેવામાં ટેમ્પો વીજ વાયરને અડ્યો, કરંટથી 3ના મોત અને 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Published on: 31st July, 2026

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં કરુણ ઘટના બની છે. ગણદેવા ગામ પાસે રસ્તા પર પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે હાઈટેન્શન વીજળીના વાયર સાથે અડી જતાં તેમાં સવાર મજૂરોને ભયંકર વીજકરંટ લાગ્યો. આ દુર્ઘટનામાં 3 મજૂરોના સ્થળ પર જ મોત થયા, જ્યારે 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. દાઝી ગયેલા 2ને ખારેલ હોસ્પિટલ અને નાજુક હાલતવાળા એક મજૂરને સુરત રિફર કરાયો. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના આગેવાનો ઘટનાસ્થળે જવા રવાના થયા છે.