
કચ્છમાં ધોધમાર વરસાદ: રાપર પંથકમાં દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Published on: 15th June, 2025
કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર આડેસરથી મેઘરાજાએ ગત રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાપર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભીષણ ગરમી અને ઉકળાટ બાદ વાગડવાસીઓને વરસાદી ઠંડકનો અહેસાસ થયો હતો. બાલાસર, આડેસર, ખડીર, પ્રાંથળ, રામવાવ અને સુવઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે 7થી રાત્રે 10 વાગ્યા દરમિયાન અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. રાપર શહેરમાં રાત્રે 12 વાગ્યા બાદ માત્ર દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. શંકરવાડી, આથમણા નાકા, મામલતદાર નિવાસ, ગેલીવાડી, તિરુપતિ નગર, સલારી નાકા અને સમાવાસ તકિયાવાશમાં પાણી ભરાયા હતા. પાણીના વહેણ પર દબાણોને કારણે તિરુપતિ નગર, ખોડિયાર મંદિર પાસે, પ્રાગપર ચોકડી અને એપીએમસી ગેલીવાડીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
કચ્છમાં ધોધમાર વરસાદ: રાપર પંથકમાં દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર આડેસરથી મેઘરાજાએ ગત રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાપર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભીષણ ગરમી અને ઉકળાટ બાદ વાગડવાસીઓને વરસાદી ઠંડકનો અહેસાસ થયો હતો. બાલાસર, આડેસર, ખડીર, પ્રાંથળ, રામવાવ અને સુવઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે 7થી રાત્રે 10 વાગ્યા દરમિયાન અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. રાપર શહેરમાં રાત્રે 12 વાગ્યા બાદ માત્ર દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. શંકરવાડી, આથમણા નાકા, મામલતદાર નિવાસ, ગેલીવાડી, તિરુપતિ નગર, સલારી નાકા અને સમાવાસ તકિયાવાશમાં પાણી ભરાયા હતા. પાણીના વહેણ પર દબાણોને કારણે તિરુપતિ નગર, ખોડિયાર મંદિર પાસે, પ્રાગપર ચોકડી અને એપીએમસી ગેલીવાડીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
Published at: June 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર