કોણ છે ટીમ ઈન્ડિયામાં સરપ્રાઈઝ એન્ટ્રી કરનાર સારાંશ જૈન?
કોણ છે ટીમ ઈન્ડિયામાં સરપ્રાઈઝ એન્ટ્રી કરનાર સારાંશ જૈન?
Published on: 28th July, 2026

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે 15 સદસ્યીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં 33 વર્ષીય ઓલરાઉન્ડર સારાંશ જૈનની પસંદગી સૌથી ચોંકાવનારી રહી છે, જેમને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના આ ખેલાડીએ સ્થાનિક ક્રિકેટમાં લાંબા સંઘર્ષ બાદ આ તક મેળવી છે. સારાંશ જૈને 54 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 188 વિકેટ ઝડપી છે અને નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ પણ કરે છે. વોશિંગ્ટન સુંદરની ઈજા અને સારાંશના ભારત-એ સામેના પ્રદર્શનને કારણે તેમને તક મળી છે.