સૂર્યકુમાર યાદવ T20 કેપ્ટનપદેથી હટશે, ચાર ખેલાડીઓ બનશે નવા કેપ્ટન
સૂર્યકુમાર યાદવ T20 કેપ્ટનપદેથી હટશે, ચાર ખેલાડીઓ બનશે નવા કેપ્ટન
Published on: 03rd June, 2026

ભારતીય T20 ટીમના કેપ્ટન પદેથી સૂર્યકુમાર યાદવને બદલવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. તેના નેતૃત્વમાં ટીમે T20 World Cup અને 2025 Asia Cup જીત્યા હતા, તેમજ સતત આઠ દ્વિપક્ષીય શ્રેણીઓ પણ જીતી હતી. પરંતુ, તાજેતરના સમયમાં તેના ખરાબ ફોર્મને કારણે, ખાસ કરીને IPL 2026 સીઝનમાં 13 મેચમાં માત્ર 270 રન બનાવ્યા બાદ, આ નિર્ણય લેવાઈ શકે છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર નવા કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. આ સિવાય તિલક વર્મા, ઈશાન કિશન અને સંજુ સેમસન પણ કેપ્ટનશીપની દોડમાં સામેલ છે.