કેપ્ટન્સી ગઈ, છતાં સૂર્યાએ બતાવ્યું મોટું દિલ, શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ
કેપ્ટન્સી ગઈ, છતાં સૂર્યાએ બતાવ્યું મોટું દિલ, શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ
Published on: 06th June, 2026

ભારતીય T20 ટીમના કેપ્ટન પદેથી સૂર્યકુમાર યાદવને હટાવી શ્રેયસ અય્યરને નવા કેપ્ટન બનાવાયા બાદ સૂર્યાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે શ્રેયસ અય્યરને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, "હું ખુશ છું કે ભારતીય ટી20 ટીમના છેલ્લા ત્રણેય કેપ્ટન મુંબઈના જ રહ્યા છે." સૂર્યાએ ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી માટે પણ અત્યંત લાગણીસભર સંદેશ પાઠવ્યો, જેમને પહેલીવાર સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.