'આત્મનિર્ભર ભારત': નૌસેના દુશ્મનોનો ખાતમો કરવા ખરીદશે Midget Submarines
'આત્મનિર્ભર ભારત': નૌસેના દુશ્મનોનો ખાતમો કરવા ખરીદશે Midget Submarines
Published on: 03rd June, 2026

ભારતીય નૌસેના તેની દરિયાઈ ઓપરેશન ક્ષમતાઓને મજબૂત કરવા માટે 2 Midget Submarines ખરીદવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે યુરોપની સંરક્ષણ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી દેવાઈ છે. 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ, આ Midget Submarines દરિયાકાંઠાના વિસ્તારો, ટાપુઓ અને સંવેદનશીલ દરિયાઈ ક્ષેત્રોમાં વિશેષ ઓપરેશન્સ માટે વ્યૂહાત્મક લાભ આપશે. શરૂઆતમાં 2 સબમરીન ખરીદવાની યોજના છે, પરંતુ ભવિષ્યમાં 5 કે તેથી વધુ સામેલ થઈ શકે છે.