હેડ કોચ ગંભીરે સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે તોડ્યું મૌન
હેડ કોચ ગંભીરે સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે તોડ્યું મૌન
Published on: 08th July, 2026

ભારતીય ટીમ અને પ્લેઇંગ 11માંથી સંજુ સેમસનને શા માટે બહાર કરવામાં આવ્યા છે તે અંગે હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે સેમસનને પર્સનલી સ્પષ્ટતા આપી દેવામાં આવી છે, જે ખેલાડી અને કોચ વચ્ચેની ખાનગી વાતચીત છે. ગંભીરે કહ્યું કે T20 World Cupમાં સેમસનનું પ્રદર્શન અદ્ભુત હતું, પરંતુ ટીમ ઇન્ટરેસ્ટ અને વર્તમાન ફોર્મ ધ્યાનમાં લેવું પડે છે. ગંભીરે સેમસનના કમબેક અંગે આશાવાદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટ જીત માટે શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે.