શુભ કાર્યમાં ગણેશ પૂજન કેમ?
શુભ કાર્યમાં ગણેશ પૂજન કેમ?
Published on: 12th September, 2026

પૌરાણિક કથા અનુસાર, દેવતાઓમાં શ્રેષ્ઠ કોણ તેની સ્પર્ધામાં ભગવાન શિવજીએ બ્રહ્માંડ પરિક્રમાની પરીક્ષા રાખી. મોટાભાગના દેવતાઓ પોતપોતાના વાહનો પર નીકળી પડ્યા. પરંતુ ભગવાન ગણેશે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી માતા-પિતાની સાત પરિક્રમા કરી. તેમણે જણાવ્યું કે માતા-પિતામાં જ સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. આથી પ્રસન્ન થઈ શિવજીએ વરદાન આપ્યું કે કોઈપણ શુભ કાર્યમાં સૌથી પહેલા ગણેશજીનું પૂજન થશે. આ જ કારણે આજદિન સુધી 'શ્રી ગણેશાય નમઃ' કહી કાર્યનો પ્રારંભ થાય છે.