ગણપતિ વિસર્જન માટે ૨૮૧ કૃત્રિમ તળાવ સહિત મુંબઈમાં કુલ ૩૪૮ સ્થળો ઉપલબ્ધ
ગણપતિ વિસર્જન માટે ૨૮૧ કૃત્રિમ તળાવ સહિત મુંબઈમાં કુલ ૩૪૮ સ્થળો ઉપલબ્ધ
Published on: 12th September, 2026

મુંબઈમાં ગણપતિ વિસર્જન માટે આ વર્ષે કુલ ૩૪૮ સ્થળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં ૨૮૧ કૃત્રિમ તળાવ, ૪૪ બીચ અને ૨૩ કુદરતી તળાવોનો સમાવેશ થાય છે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પાલિકા દ્વારા બેરિકેડિંગ, સીસીટીવી, લાઇટ, અગ્નિશામક, એનડીઆરએફ ટીમ અને સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા કરાઈ છે. કૃત્રિમ અને કુદરતી સ્થળોએ મોબાઇલ ટોયલેટ, એલઈડી સ્ક્રીન, લાઇવ પ્રસારણ અને નિર્માલ્ય કળશની સુવિધા પણ અપાઈ છે. ગીરગાંવ અને જુહુ ચોપાટી પર વાહનો માટે લોખંડની પ્લેટો બિછાવવામાં આવી છે.