ભાદરવી અમાસ: ભાવનગરમાં લાખો શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થશે
ભાદરવી અમાસ: ભાવનગરમાં લાખો શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થશે
Published on: 11th September, 2026

ભાદરવી અમાસના પવિત્ર પર્વે ગોહિલવાડમાં પિતૃકાર્યો અને જીવદયા પ્રવૃતિઓ ધમધમશે. ભાવનગર ખાતે આવતીકાલે તા.૧૧ સપ્ટેમ્બરે યોજાનાર આ મહાપર્વ પર લાખો શ્રદ્ધાળુઓ કોળીયાકના નિષ્કલંક મહાદેવજીના સમુદ્રમાં પવિત્ર સ્નાન કરશે. અનેક સ્થળોએ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાશે. આ પવિત્ર અવસરે દિવંગત પિતૃઓના મોક્ષાર્થે પૂજન-અર્ચન અને શ્રાદ્ધવિધિ સંપન્ન થશે. મેળામાં ૫ ટન લાડુની પ્રસાદી અને ધાર્મિક ફિલ્મોનું પણ આયોજન કરાયું છે.