શ્રાવણી અમાસે ‘છોટી કાશી’માં શિવભક્તિ અને પિતૃ તર્પણનો માહોલ
શ્રાવણી અમાસે ‘છોટી કાશી’માં શિવભક્તિ અને પિતૃ તર્પણનો માહોલ
Published on: 11th September, 2026

‘છોટી કાશી’ જામનગરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે, શ્રાવણી અમાસે, શિવભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તિ છવાયેલી રહી હતી, અને અમાસના દિવસે પણ વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જામેલી રહી. આ દિવસે ભક્તોએ જળ, બિલિપત્ર અર્પણ કરી જલાભિષેક, રુદ્રાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી. સાથે જ, પિતૃ શાંતિ માટે પિંપળા પાસે પિતૃ તર્પણ કરવાની ધાર્મિક વિધિ પણ કરવામાં આવી.