ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે, CMની હાજરીમાં કાર્યક્રમ
ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે, CMની હાજરીમાં કાર્યક્રમ
Published on: 03rd February, 2026

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિ અવશેષો કોલંબોના બુદ્ધિસ્ટ સંમેલનમાં દર્શનાર્થે મોકલાશે. CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MSU ખાતે કાર્યક્રમ યોજાશે. 1960-63માં દેવની મોરી સ્તૂપના ઉત્ખનન દરમિયાન આ અવશેષો મળ્યા હતા, જે શિલાલેખમાં 'ભગવાન બુદ્ધના શારીરિક અવશેષોનું નિવાસસ્થાન' દર્શાવે છે. આ અવશેષોને કાચના ડેસીકેટરમાં સુરક્ષિત રખાયા છે અને 2010માં ઇન્ટરનેશનલ બુદ્ધ કોન્ફરન્સમાં પ્રદર્શિત કરાયા હતા.