પાદરામાં ભાગવત પારાયણ પૂર્વે ભવ્ય શોભાયાત્રા.
પાદરામાં ભાગવત પારાયણ પૂર્વે ભવ્ય શોભાયાત્રા.
Published on: 19th May, 2026

પાદરામાં રંગ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત નવાહન પારાયણ નિમિત્તે ભક્તિમય શોભાયાત્રા યોજાઈ. જેમાં સમગ્ર નગર હરિભક્તિ અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું. આગેવાનો, સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ગાય માતાને પ્રધાન શ્રોતા તરીકે સ્થાન અપાતા કાર્યક્રમને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું.