દિલ્હીની વાત : બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે
દિલ્હીની વાત : બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે
Published on: 19th May, 2026

નવીદિલ્હી : એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં બસપા લાંબા સમય સુધી સત્તામાં રહી હતી. કાંશીરામ અને માયાવતીએ પક્ષની સ્થાપના કર્યા  પછી દલીત અને ઓબીસીના સમર્થનને કારણે બસપા અને માયાવતી છવાઈ ગયા હતા. ધીમે ધીમે માયાવતીની પકડ ઓછી થતી ગઈ. એમની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ભેગી કરેલી મિલકતને કારણે તેઓ લોકોની નજરમાંથી ઉતરતા ગયા. હમણા બસપા નેશનલ પાર્ટી  છે, પરંતુ ગમે ત્યારે આ દરજ્જો ગુમાવી શકે એમ છે. હમણા દેશમાં છ નેશનલ પાર્ટીઓ,  ભાજપ, કોંગ્રેસ, બસપા, સીપીઆઇ (એમ) અને એનપીપી છે.