ભાવનગરની સાડુ માટીમાંથી બને છે ઇકો-ફ્રેન્ડલી ગણેશજી
ભાવનગરની સાડુ માટીમાંથી બને છે ઇકો-ફ્રેન્ડલી ગણેશજી
Published on: 10th August, 2026

ગણેશ ચતુર્થી નજીક આવતા, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) મૂર્તિઓના વિકલ્પ તરીકે ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની માંગ વધી રહી છે. મહેસાણાના મૂર્તિકાર વિકાસ ગુપ્તે 36 વર્ષથી સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી મિસાલ કાયમ કરી છે. તેઓ દર વર્ષે 200 મૂર્તિઓ બનાવે છે, અને આવતા દશેરાથી જ આગામી વર્ષનું કામ શરૂ કરી દે છે. 300 દિવસની મહેનત બાદ 2 થી 6 ફૂટની મૂર્તિઓ તૈયાર થાય છે. ભક્તોની શ્રદ્ધા મુજબ વિશેષ ડેકોરેશન અને શણગારનો ખર્ચ રૂ. 500 થી રૂ. 1,000 સુધીનો હોય છે. ભાવનગરની સાડુ માટીની ચિકાશ, બારીક કણો અને મજબૂતાઈ મૂર્તિઓને જીવંત બનાવે છે.