ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો: અમરેલીમાં સાધુ-સંતો કલેક્ટર કચેરી પહોંચ્યા
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો: અમરેલીમાં સાધુ-સંતો કલેક્ટર કચેરી પહોંચ્યા
Published on: 28th July, 2026

અમરેલીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને દેશભરમાં ગૌવંશના કતલખાનાઓ બંધ કરવાની માંગ સાથે સાધુ-સંતો, ગૌભક્તો અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. અનેક તાલુકાઓમાંથી ગૌમાતા સાથે કલેક્ટર કચેરી પહોંચેલા આ લોકોએ જય શ્રી રામના નારા સાથે ગૌરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી. આવેદનમાં ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અને કતલખાનાઓ બંધ કરવા અસરકારક પગલાં લેવાની માંગ કરાઈ. ગૌસેવકોએ ગાયોની કતલ બંધ કરી સુરક્ષા આપવાની અપીલ કરી. આ અભિયાનનો કોઈ રાજકીય હેતુ નથી.