શ્રાવણ માસના બીજા સોમવારે ભોળેશ્વર મહાદેવ દર્શને હજારો પદયાત્રીઓ
શ્રાવણ માસના બીજા સોમવારે ભોળેશ્વર મહાદેવ દર્શને હજારો પદયાત્રીઓ
Published on: 24th August, 2026

જામનગરના લાલપુર પાસે આવેલા ભોળેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે દર્શન કરવા માટે હજારો શિવભક્તોએ પદયાત્રા શરૂ કરી હતી. ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ભક્તો લાલપુર તરફ પગપાળા નીકળી પડ્યા હતા. આ પદયાત્રા દરમિયાન, શિવભક્તોની સેવા માટે માર્ગમાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં પ્રસાદ, ચા-પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. પદયાત્રીઓની સુરક્ષા માટે હોમગાર્ડઝ દ્વારા રિફ્લેક્ટર લગાવવાની પણ સેવા અપાઈ હતી.