શ્રાવણ મહિનામાં AMC ફૂડ વિભાગ દ્વારા ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવાયા
શ્રાવણ મહિનામાં AMC ફૂડ વિભાગ દ્વારા ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવાયા
Published on: 24th August, 2026

સાતમ-આઠમ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ઘી, પનીર, માવો અને મીઠાઈઓની માગ વધતા AMC ફૂડ ડિપાર્ટમેન્ટે ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. ઓગસ્ટ મહિના દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના અંદાજે 500 જેટલાં સેમ્પલ લઈને નવરંગપુરા સ્થિત ફૂડ એન્ડ હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી અપાયા છે. રેપિડ ટેસ્ટિંગ કિટથી સ્થળ પર જ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. મિલાવટખોરો સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ છે.