અયોધ્યામાં બનનારી મસ્જિદને દાન ન મળ્યું!
અયોધ્યામાં બનનારી મસ્જિદને દાન ન મળ્યું!
Published on: 09th July, 2026

અયોધ્યાના ઐતિહાસિક સુપ્રીમ કોર્ટ ચુકાદા બાદ પ્રસ્તાવિત મસ્જિદ પ્રોજેક્ટના કદમાં ઘટાડો થયો છે. 'ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન' (IICF) એ ફંડની ભારે અછત અને સમુદાય તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાને કારણે મૂળ ભવ્ય યોજના ટૂંકાવી છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 5 એકર જમીન પર હવે માત્ર નાની મસ્જિદ બનશે. હોસ્પિટલ, કોમ્યુનિટી કિચન અને લાઈબ્રેરી જેવી લોકકલ્યાણકારી યોજનાઓ પડતી મૂકવામાં આવી છે. રૂ. 5 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 1.5 કરોડનું દાન મળ્યું છે, જેના કારણે પ્રોજેક્ટનું કદ ઘટાડવું પડ્યું છે.