નાસિકમાં ગોદાવરી ભયજનક સપાટી વટાવી
નાસિકમાં ગોદાવરી ભયજનક સપાટી વટાવી
Published on: 09th July, 2026

નાસિકમાં સતત મુશળધાર વરસાદને કારણે ગોદાવરી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રામકુંડ સહિત આસપાસના મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા છે. સોમેશ્વર ધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે પર્યટકોને ત્યાં જવાથી રોકવામાં આવ્યા છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા અને સતર્ક રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે.