ધ્રાંગધ્રા જૈન એલર્ટ ગ્રુપ: 500 શ્રમિકોને રસ-રોટલી, જીવદયા અને 189 આયંબિલ તપનો ત્રિવેણી સંગમ.
ધ્રાંગધ્રા જૈન એલર્ટ ગ્રુપ: 500 શ્રમિકોને રસ-રોટલી, જીવદયા અને 189 આયંબિલ તપનો ત્રિવેણી સંગમ.
Published on: 01st June, 2026

ધ્રાંગધ્રા ખાતે જૈન એલર્ટ ગ્રુપ દ્વારા 'અનુકંપા દાન – અનુકંપા ભક્તિ' કાર્યક્રમમાં આરાધના, માનવ સેવા અને જીવદયાનો અદ્ભુત ત્રિવેણી સંગમ સર્જાયો. આ કાર્યક્રમમાં 500 થી વધુ શ્રમિક ભાઈ-બહેનોએ કેરીના રસ સાથે અનલિમિટેડ ભોજનનો લાભ લીધો. સાથે જ, 189 આયંબિલ તપના આરાધકોએ રેકોર્ડબ્રેક સંખ્યામાં ભાગ લઈને જૈન શાસનની પ્રભાવના કરી. મૂળી મહાજન પાંજરાપોળની ગાયો માટે ₹1,08,000નું અનુદાન, જે સાઉદી અરેબિયા સ્થિત મંત્રી પરિવારે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.