મહુડી : જાગૃત દેવતા ઘંટાકર્ણ સ્વામીનું પવિત્ર સ્થાન
મહુડી : જાગૃત દેવતા ઘંટાકર્ણ સ્વામીનું પવિત્ર સ્થાન
Published on: 12th August, 2026

ઘંટાકર્ણ મહાવીર, જૈન શાસનના રક્ષક અને શ્રદ્ધાળુઓને સહાય કરનાર દેવતા છે. અમદાવાદથી ૭૦ કિલોમિટર દૂર, સાબરમતી નદી કિનારે વસેલું મહુડી ગામ, જાગૃત દેવતા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનક તરીકે વિશ્વવિખ્યાત છે. આ પાવન સ્થળ અઢારે આલમના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ૧૯૨૧માં જૈનાચાર્ય બુદ્ધિસાગરજી મહારાજને થયેલા યોગદર્શન બાદ, ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિની સ્થાપના થઈ. કાનમાં કુંડળ હોવાથી તેઓ ઘંટાકર્ણ મહાવીર તરીકે ઓળખાયા. તેઓ અનિષ્ટ તત્વોથી પીડિત જૈનોને પીડામુક્ત કરે છે અને સાત્વિક ભાવે દર્શને આવનારને અનુભૂતિ આપે છે.