ગૌવંશ રક્ષણ અને રાહત પેકેજ માટે ગૌસન્માન આહ્વાન યાત્રા: કલેક્ટરને આવેદનપત્ર
ગૌવંશ રક્ષણ અને રાહત પેકેજ માટે ગૌસન્માન આહ્વાન યાત્રા: કલેક્ટરને આવેદનપત્ર
Published on: 28th July, 2026

સુરેન્દ્રનગર ખાતે ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમ દ્વારા ગૌવંશના રક્ષણ અને અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટે રાહત પેકેજની માંગ સાથે ગૌસન્માન આહ્વાન યાત્રા યોજાઈ. આ યાત્રા બાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારે વરસાદથી ઘાસચારો પલળી જવા અને લીલા સાહટીયાના ભાવ વધારાને કારણે પશુઓને મુશ્કેલી પડી રહી છે. સરકારે રાહત પેકેજ, કેટલ કેમ્પો અને આર્થિક મદદ પૂરી પાડવી જોઈએ. પ્લાસ્ટિક પ્રતિબંધ, વેટરનરી કૉલેજો, ગૌચરોના દબાણ દૂર કરવા જેવી 10 માંગણીઓ રજૂ કરાઈ.