દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમીના દર્શનના સમયમાં ફેરફાર અને આવકમાં મોટો વધારો
દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમીના દર્શનના સમયમાં ફેરફાર અને આવકમાં મોટો વધારો
Published on: 31st August, 2026

આગામી સપ્ટેમ્બરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસ દરમિયાન દર્શનના નિર્ધારિત સમયમાં આરતી અને ભોગને ધ્યાનમાં રાખીને ફેરફાર કરાયો છે. મધરાત્રિ 12:00 વાગ્યે જન્મોત્સવ આરતી શરૂ થશે અને 2:30 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. આ ઉપરાંત, છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં દ્વારકાધીશ જગત મંદિરની આવકમાં સતત વધારો જોવા મળ્યો છે, જે 2025-26 દરમિયાન 22 કરોડથી વધુ પહોંચી છે.