જામનગરના બિલ્ડરના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં
જામનગરના બિલ્ડરના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં
Published on: 31st August, 2026

જામનગરના બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ પ્રકરણમાં તેમના પુત્ર દેવ પરમાર દ્વારા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથકમાં 11 વ્યક્તિ સામે નોંધાયેલી ફરિયાદ બાદ, ગાંધીનગર પોલીસની એક તપાસ ટુકડી જામનગર આવી પહોંચી છે. આ ટુકડીએ સ્થાનિક સી-ડિવિઝન પોલીસની મદદથી આરોપીઓ સાથે સંકળાયેલા સ્થળોએ તપાસ હાથ ધરી છે. પરિવારના આક્ષેપો મુજબ, આ મૃત્યુ કુદરતી નથી પરંતુ માનસિક ત્રાસને કારણે ઝેરી પદાર્થ પી આપઘાતનો બનાવ છે. જમીન-મિલકતના વ્યવહારો અને નાણાંકીય લેવડદેવડમાં વધુ નાણાંની માંગણી અને માનસિક ત્રાસના આક્ષેપો ફરિયાદમાં કરાયા છે. પોલીસે સુસાઇડ નોટ, બેન્ક સ્ટેટમેન્ટ, દસ્તાવેજો સહિતના પુરાવાઓની તપાસ શરૂ કરી છે.