જન્માષ્ટમી મેળાની રાઇડ્સ ચકાસણીમાં એન્જિનિયરિંગ શિક્ષકોને લગાડ્યા!
જન્માષ્ટમી મેળાની રાઇડ્સ ચકાસણીમાં એન્જિનિયરિંગ શિક્ષકોને લગાડ્યા!
Published on: 31st August, 2026

આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાતા મેળાઓમાં રાઈડ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે સરકારી ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ વિભાગના અધ્યાપકોને રાઈડ્સની ચકાસણી માટે નિયુક્ત કર્યા છે. આ કામગીરીને કારણે અધ્યાપકોમાં નારાજગી છે, કારણ કે તેમના અભ્યાસકાર્યમાં વિક્ષેપ પડે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણને પણ નુકસાન થાય છે. ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક એન્ડ રાઈડ સેફટી નોટિફિકેશન 2024 મુજબ આ ચકાસણી ફરજિયાત કરાઈ છે. આ માટે ક્વોલિફાઈડ એન્જિનિયરોની જરૂરિયાત હોવાથી, કોલેજના શિક્ષકોને આ કામ સોંપવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.